Wednesday 17 April 2013

રામ નવમી





ચૈત્ર સુદ નવમી હિંદુઓના, ભારતની જનતાના હૃદયના સમ્રાટ શ્રી રામનો પ્રાકટ્ય દિન .

રામ એ ભારતીય સંસ્કૃતિનું "પ્રાણકેન્દ્ર" છે . 

ભારતના લોકો માટે રામ એ ફક્ત અક્ષરો નથી, નામ નથી પણ "આસ્થા" છે . રામ એ સાક્ષાત ઈશ્વર છે .રામ શબ્દ નામ જેટલું જ સરળ એમનું જીવન હતું . એક આદર્શ પુત્ર, એક આદર્શ ભાઈ, આદર્શ પતિ અને છેવટે આપણા તારણહાર "શ્રી રામ" . 

"આપણા માટે પૃથ્વી પર માનવ બનીને અવતરેલા ભગવાન શ્રી રામ".

ધર્મમાં તત્પરતા, વાણીમાં મધુરતા, દાનમાં ઉત્સાહ, મિત્ર સાથે નિષ્કપટતા, ગુરુજનો પ્રત્યે નમ્રતા, ચિત્તમાં અતિ ગંભીરતા, આચારમાં પવિત્રતા, ગુણોમાં રસિકતા, શાસ્ત્રોમાં નિપુણતા, રૂપમાં સુંદરતા અને સરળ હૃદયી, એક પત્નીવ્રત નિષ્ઠાવાન એવા "રાજા રામ" એમનો મહિમા જ અપાર છે, અનંત છે .

માનવ ઉચ્ચ ધ્યેય અને આદર્શ રાખી મહાન શી રીતે થઇ શકે તે રામે પોતાના જીવન દ્વારા સ્થાપિત કર્યું છે . 

વિચારોમાં અને વ્યવહારિક કાર્યોમાં માનવીય મર્યાદાઓ સ્વીકારીને વામનમાંથી વિરાટ, માનવમાંથી મહામાનવ, પુરુષમાંથી પુરુષોત્તમ શી રીતે થવાય તે રામે તેમના જીવન દ્વારા સમજાવ્યું છે . તેથી જ તેઓ "મર્યાદા પુરુષોત્તમ"  કહેવાય છે .

રામનો જન્મ બપોરના 12:00 વાગ્યે  થાય છે . જીવન અને જગત જયારે આધિ, વ્યાધિ અને ઉપાધિના પ્રખર તાપથી તપ્ત થઇ જાય છે ત્યારે  તેમને શાંતિ અને  સુખ આપવા પ્રેમ, પાવિત્ર્ય અને પ્રસન્નતાના શીતળ ચંદ્ર સમાન એવા પ્રભુ શ્રી રામ અવતરે છે .

શ્રી રામના જીવનદર્શનમાંથી  દરેકે દરેક ગુણ આત્મસાત જો કરી શકાય તો આજે પણ "રામરાજ્ય" આવી શકે છે .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આજે સાક્ષાત શ્રી રામના માનવીય ગુણો  પ્રમાણે જ જીવે છે અને આપણને શીખડાવે છે કે માનવીય મર્યાદા હોવા છતાં શ્રી રામ આજે પણ લોકોમાં પ્રેમથી "ભગવાન રામ" તરીકે પુજાયા છે . 

મારા બાપુ આજે પણ શ્રી રામજન્મની ઉજવણી કરીને આપણી આંખો સમક્ષ તે સમયની શ્રી રામદર્શનની ઝાંખી કરાવે છે .

રામરાજ્ય લાવવાનું મારા બાપુનું સ્વપ્નું જે હવે 2025 માં સાકાર થવાનું છે તેને માટે આપણો સાથ-સહકાર, ભાવ, પ્રેમ, શ્રદ્ધા અને સમય, શક્તિ આપી તેમના હમસફર બનીએ .

મારા ગુરુ શ્રી અનિરુદ્ધરામને શ્રદ્ધારૂપી આ પુષ્પ તેમના ચરણોમાં હું અર્પણ કરું છું . 








શ્રી રામ 
અંબજ્ઞ 
અનિરુદ્ધજ્ઞ  


 
 
 

No comments:

Post a Comment