ચૈત્ર સુદ પ્રતિપદાને મહારાષ્ટ્રમાં "ગુડી પડવો " કહે છે .
વર્ષના સાડા ત્રણ શુભ મુહૂર્તોમાં ગુડી પડવાની ગણતરી થાય છે .
આ દિવસે લીમડા ના રસનું પાન કરવામાં આવે છે .
ઘરના આંગણાંમાં જે ગુડી ચડાવવામાં આવે છે તે વિજયનો સંદેશ આપે છે .
ગુડી એટલે "વિજય પતાકા".
"ભોગ પર યોગનો વિજય, વૈભવ પર વિભૂતિનો વિજય ને વિકાર પર વિચારનો વિજય ".
ગુડીનું દર્શન પ્રત્યેકને આશ્વાસન આપે છે .
"તું પણ અસત્ તરફથી સત્ તરફ જઈ શકે છે , તું પણ દુર્ગુણો તરફથી સદગુણો તરફ જઈ શકે છે .
" તારામા એ શક્તિ અને સામર્થ્ય પ્રભુએ ઠસોઠસ ભરેલા છે ."
આ દિવસે ઘરની સર્વ સંપત્તિ દેવ ગૃહમાં પ્રભુના પગ પાસે મુકવામાં આવે છે . આ રિવાજ ઈશ્વરાર્પણ બુદ્ધિનો ભાવ આપે છે . જે કંઈ સંપત્તિ, ધન, વૈભવ કે ઐશ્વર્ય પ્રભુએ મને આપ્યું છે એ પ્રભુને ચરણે ધરી પ્રસાદ રૂપે, ભક્તિની ભાવનાથી તેનો સ્વીકાર કરવાનો હેતુ હોય છે .
મળેલું જીવન એ પ્રભુ નો પ્રસાદ છે અને મળેલો વૈભવ એ પ્રભુની કૃપા છે એ જ ભાવના આ મંગલ દિને દ્રઢ કરતા રહેવાની .
આ ગુડીપડવાનું શ્રેય હું મારા ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુને અર્પણ કરું છું .
શ્રી રામ
અંબજ્ઞ
No comments:
Post a Comment